બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈએ 1998માં કાળા હરણની હત્યામાં સલમાન ખાનની કથિત સંડોવણી માટે અભિનેતા વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
બિશ્નોઈ સમુદાય દ્વારા કાળિયારને પવિત્ર માનવામાં આવે છે. જોકે સલમાને આ આરોપોને નકારી કાઢ્યા છે. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન લોરેન્સના પિતરાઈ ભાઈએ દાવો કર્યો છે કે અભિનેતાએ વર્ષો પહેલા 'બ્લેન્ક ચેક' દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈએ સલમાન ખાન પર લગાવ્યા આ આરોપ!
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જેલમાં બંધ લોરેન્સના પિતરાઈ રમેશ બિશ્નોઈએ સલમાન ખાન સાથે ગેંગસ્ટરના ઝઘડા વિશે ખુલીને વાત કરી હતી. રમેશે દાવો કર્યો હતો કે જ્યારે કાળા હરણનો મુદ્દો ફાટી નીકળ્યો અને બિશ્નોઈઓએ સલમાનની નિંદા કરી ત્યારે અભિનેતાએ તેમને વળતર તરીકે પૈસાની ઓફર કરી હતી. તેણે કહ્યું કે સલમાન ચેકબુક લઈને સમુદાયના નેતાઓને મળવા આવ્યો હતો અને કેસ બંધ કરવાના બદલામાં તેમને ગમે તે કિંમત ચૂકવવા કહ્યું હતું. રમેશે કહ્યું, "જો અમને પૈસા જોતા હોત તો અમે તે સ્વીકારી લીધું હોત."
સલમાનના પિતા સલીમ ખાને આરોપ લગાવ્યો હતો કે લોરેન્સ બિશ્નોઈ પૈસા માટે સલમાનને ટાર્ગેટ કરી રહ્યા છે. અભિનેતાના પિતાના આ આરોપ પર રમેશ બિશ્નોઈએ કહ્યું કે આ મુદ્દો પૈસા પર આધારિત નથી પરંતુ વિચારધારા પર આધારિત છે. "તે સમયે અમારું લોહી ઉકળતું હતું" તેમણે વધુમાં કહ્યું કે લોરેન્સ ભારતમાં 110 એકર જમીનની માલિકી ધરાવતો હતો અને તે એટલો અમીર હતો કે તેણે કોઈપણ પ્રકારની વસૂલી કરવાની જરૂર નહોતી.
કાળા હરણના શિકારનો મુદ્દો શું છે?
કાળિયારના શિકારની ઘટના 1998માં જોધપુરમાં બની હતી. તે દરમિયાન સલમાન ખાન ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માટે ત્યાં ગયો હતો. આ ફિલ્મમાં તેની સાથે અન્ય સ્ટાર્સ સૈફ અલી ખાન, સોનાલી બાન્દ્રે અને નીલમ કોઠારી પણ હતા. આ કેસ 25 વર્ષથી ચાલી રહ્યો છે અને દોષિત જાહેર થયા બાદ સલમાન હાલમાં જામીન પર છે. કાળા હરણને પવિત્ર માનતા બિશ્નોઈ સમુદાયે સલમાનને તેના કૃત્ય બદલ માફી માંગવા માટે વારંવાર કહ્યું છે.
અભિનેતાના પિતા સલીમ ખાને કહ્યું હતું કે માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણકે તેનો અર્થ એ થશે કે સલમાન ગુનાની કબૂલાત કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech