સંગીત ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. સેંકડો ફિલ્મી ગીતોમાં ગાયા અને શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવનાર 92 વર્ષીય ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટ અને ફેફસાના ચેપને કારણે તેમને શનિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવાર સવારથી તેમની હાલત ગંભીર રહી હતી.
આશા ભોંસલેના નિધન પર બોલિવૂડ ઉદ્યોગ શોક વ્યક્ત કરી રહ્યો છે. આશા ભોંસલેને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પૌત્રી જાનાઈ ભોંસલેએ જણાવ્યું હતું કે, મારી દાદી આશા ભોંસલે તેમની નબળાઈને કારણે છાતીમાં ચેપથી પીડાઈ રહી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તેમની હાલત ગંભીર છે.