સ્થાનિક રહેવાસીઓએ સતત 5મા વર્ષે ‘રાધાકૃષ્ણનગર કા રાજા’ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું
સ્થાનિક રહેવાસીઓએ સતત 5મા વર્ષે ‘રાધાકૃષ્ણનગર કા રાજા’ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું
September 17, 2026 09:42 AM
રાધાકૃષ્ણનગરમાં ‘રાધાકૃષ્ણનગર કા રાજા’ સમક્ષ ૫૬ ભોગનો ભવ્ય અન્નકૂટ ગોંડલ : શહેરના મુખ્ય વિસ્તાર રાધાકૃષ્ણનગર ખાતે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત પાંચમા વર્ષે ‘રાધાકૃષ્ણનગર કા રાજા’ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ અંતર્ગત વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી સમક્ષ વિવિધ પ્રકારની મીઠાઈ, ફરસાણ, ફળ અને સ્વાદિષ્ટ વાનગીઓનો ૫૬ ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવી હતી