BREAKING NEWS

જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ દ્વારા સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ

  • February 27, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તબીબી ક્ષેત્રે સંશોધન કાર્યને વધુ સચોટ, ગુણવત્તાયુક્ત અને અસરકારક બનાવવાના ઉમદા હેતુ સાથે જામનગરની શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ દ્વારા મેડિકલ રિસર્ચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત રિસર્ચ મેથોડોલોજીના બેઝિક કોર્સની ચાર બેચનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સ્ટેટ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૧૩૦ જેટલા તબીબી શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંશોધન કૌશલ્યની તાલીમ મેળવી હતી.


આ તાલીમ કાર્યક્રમનું નેતૃત્વ પી.એસ.એમ. વિભાગના એસોસિએટ પ્રોફેસર અને મેમ્બર સેક્રેટરી ડો. નરેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન નોડલ ઓફિસર અને ઓબ્ઝર્વર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.

​​​​​​​


આ કાર્યશાળામાં નિષ્ણાત રિસોર્સ પર્સન્સ તરીકે ડો. નલિની આનંદ-પ્રોફેસર અને હેડ, ગાયનેક વિભાગ, ડો. રાધા દાસ-એસોસિએટ પ્રોફેસર, ઓપ્થલમોલોજી અને ડો. સુમિત ઉનડકટ-એસોસિએટ પ્રોફેસર, પી.એસ.એમ. એ રિસર્ચ મેથોડોલોજીના વિવિધ ટેકનિકલ પાસાઓ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


વિશેષ નોંધનીય બાબત એ છે કે, આ શૈક્ષણિક પહેલમાં જામનગરની કોલેજ ઉપરાંત  મેડિકલ કોલેજ, પોરબંદરના ૯ તબીબી શિક્ષકોએ પણ ભાગ લીધો હતો, જે રાજ્યની સરકારી મેડિકલ સંસ્થાઓ વચ્ચેના મજબૂત શૈક્ષણિક સહકારનું પ્રતિક છે. આ ઉપરાંત, મેડિકલના અભ્યાસકાળથી જ સંશોધન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી ખઇઇજ ના ત્રીજા વર્ષના ૯ વિદ્યાર્થીઓને પણ આ વર્કશોપમાં સાંકળવામાં આવ્યા હતા. ગુજરાતભરમાં મેડિકલ સંશોધન સંસ્કૃતિને વેગ આપવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલું આ પગલું તબીબી શિક્ષણ જગતમાં આશીર્વાદરૂપ સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application