જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બજેટ સત્રને લઈને ૧૬ ફેબ્રુઆરીથી મળી શકશે નહીં: જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બજેટ સત્રને લઈને ૧૬ ફેબ્રુઆરીથી મળી શકશે નહીં: જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે
February 16, 2026 10:08 AM
જામનગર તા ૧૪, જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કે જેઓ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને ગાંધીનગર હાજર રહેવાના હોવાથી તેઓ પોતાના જામનગરના જન સંપર્ક કાર્યાલય પર સોમવાર તારીખ ૧૬.૨.૨૦૨૬ થી તારીખ ૨૫.૦૩.૨૦૨૬ સુધી મળી શકશે નહીં, પરંતુ તેઓનું કાર્યાંલય રાબેતા મુજબ ખુલ્લું રહેશે.
જેઓને ઉપરોક્ત તારીખ દરમિયાન દર શનિવારે સવારે ૧૦.૦૦ વાગ્યા થી બપોરે ૧.૦૦ વાગ્યા દરમિયાન મળવા માટે મુલાકાતીઓએ અગાઉથી સંપર્ક કરી લેવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.