માધવરાયની જાન માધવપુરથી દ્વારકા જતી હતી ત્યારે સુદામાપુરી પોરબંદર ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણીમાતાના લગ્નબાદ પછીના દિવસે માધવપુરથી દ્વારકા સાંસ્કૃતિક કાર્યક્રમની યાત્રા જાનપે દ્વારકા પહોંચે છે.માધવપુર થી દ્વારકા યાત્રા અંતર્ગત પોરબંદર ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.ભગવાન શ્રીકૃષ્ણ અને માતા કમણીજીના લગ્ન પ્રસંગ યોજાયો હતો.માધવપુર અને દ્વારકા ભાવનાત્મક રીતે જોડાયેલા છે. માધવપુર ધેડના મેળાને દ્વારકા સુધી વિસ્તારીને દ્વારકામાં શ્રી રૂક્ષ્મણી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. માધવપુર ખાતે ચાર દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પાંચમા દિવસે દ્વારકા ખાતે કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગપે માધવપુરથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીરૂપે નીકળેલા કલાકારોનું પ્રતિકાત્મક જાનપે પોરબંદર પટેલ સમાજ ખાતે શહેરીજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતુ.
જેમા વેશભુષામાં સજ્જ ભગવાન શ્રીકૃષ્ણ માતા કમણીજી તેમજ કલાકારોને શહેરીજનોએ પરંપરાગત રીતે આવકાર્યા હતા.
પોરબંદર ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા,ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ, મહાનગરપાલિકાના કમિશ્નર એચ.એ.પ્રજાપતિ સહિત મહાનુભાવો તથા શહેરીજનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જાનનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતુ.આ ઉત્સવની ઉજવણી પ્રસંગે યુવાનોએ મણિયારો રાસ તેમજ બહેનોએ રાસ ગરબા રજુ કરી મહેમાનોને આવકાર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech