સામાજિક કાર્યક્રમમાં જતી વખતે પીકઅપ વાહનની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત, ૨૧ ઘાયલ, મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાય જાહેર
મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક દમ્બીર અકસ્માતમાં ૧૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજ વહેલી સવારે અહીં બિચીયા-બરઝાર ગામમાં એક મોટો અકસ્માત થયો છે. એક પીકઅપ વાહને કાબૂ ગુમાવતા અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૧ જેટલા લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ લોકો અમાહી દેવરી ગામથી મસૂરઘુઘારી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક વિસ્તારમાં સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.
બરઝાર ઘાટ પર પાછા ફરતી વખતે તેમના પીકઅપ વાહનની બ્રેક ફેલ થઇ ગઈ હતી. જેના કારણે વાહન કાબુ બહાર જઈ ૨૦ ફૂટ નીચે ખેતરમાં પલટી ગયું હતું. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, અકસ્માત બિછિયા ચોક પાસે થયો હતો. પીકઅપ વાહનમાં તમામ મુસાફરો બેઠા હતા.
૧૪ મૃતકોમાં ૯ પુરૂષ અને ૫ મહિલાઓનો સમાવેશ થાય છે. જયારે ૨૧ ઘાયલોમાં ૯ પુરૂષ અને ૧૨ મહિલાઓનો સમાવેશ થાય છે. ૨ની હાલત ગંભીર જણાતા તેમને જબલપુર રીફર કરવામાં આવ્યા છે. જેમાંથી એકનું રસ્તામાં જ મોત થયું હતું. મૃતકોમાં મદનસિંહ, પિતામ, પુન્નુ લાલ, મહદી બાઈ, સેમ બાઈ, લાલ સિંહ, મુલિયા, તિત્રી બાઈ, સાવિત્રી, સરજુ, સમહર, મહાસિંગ, લાલ સિંહ, કિરપાલનો સમવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech