BREAKING NEWS

મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: 880 કર્મચારી-અધિકારીઓની એકસાથે બઢતી અને બદલી

  • March 20, 2026 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી માળખાને વધુ સુદ્રઢ અને વેગવંતુ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં એકસાથે ૮૮૦ કર્મચારીઓ અને અધિકારીઓની બઢતી (Promotion) તથા બદલી (Transfer) ના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ૮૦૦ જેટલા વર્ગ-૩ ના કર્મચારીઓને પ્રમોશન આપીને તેમને નવી ઊંચાઈએ પહોંચાડવામાં આવ્યા છે.


વર્ષોની પ્રતીક્ષાનો આવ્યો સુખદ અંત
આ ઓર્ડર સાથે જ મહેસૂલ વિભાગના પાયાના કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મહેસૂલી તલાટી અને કારકૂન (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ૮૦૦ કર્મચારીઓને બઢતી આપીને હવે 'નાયબ મામલતદાર' જેવી જવાબદાર પોસ્ટ પર નિયુક્તિ આપવામાં આવી છે. વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે ૮૦ નાયબ મામલતદારોની પણ અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.


જુઓ નાયબ મામલતદારોની જિલ્લાવાર બદલીનું લિસ્ટ











લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News