જ્યારથી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ભારત પરત ફરી છે, ત્યારથી તે લોકોમાં ચચર્નિો વિષય બની ગઈ છે. મહાકુંભમાં મહામંડલેશ્વરનું પદ મળ્યા પછી તે લોકોની સામે ચચર્મિાં આવી. જોકે, એ પછી દરેક જગ્યાએ આ બાબતનો ઘણો વિરોધ થયો. એટલે થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, હવે તેમને ફરીથી મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે.મમતા કુલકર્ણીએ ફરી એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમને મહામંડલેશ્વરનું પદ પાછું આપવામાં આવ્યું છે. તેમના વીડિયો પહેલા કિન્નર અખાડાના વડા આચાર્ય મહામંડલેશ્વર ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે મમતા કુલકર્ણીનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું. હવે મમતા કુલકર્ણી એટલે કે યમાઈ મમતા નંદ ગિરીએ પણ તેની પુષ્ટિ કરી છે.અભિનેત્રીએ 10 ફેબ્રુઆરીએ શેર કરેલા તેના વીડિયોમાં કહ્યું છે કે કેટલાક લોકોએ મારા ગુરુ સ્વામી ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર ખોટા આરોપો લગાવ્યા હતા. જે બાદ મેં કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે વધુમાં કહ્યું કે મહામંડલેશ્વર બન્યા પછી તેમણે તેમના ગુરુને જે ભેટ આપી હતી તે છત્ર, લાકડી અને ચામર માટે હતી અને બાકીના પૈસા ભંડારા માટે આપ્યા હતા. હું મારા ગુરુની આભારી છું કે તેમણે મને આ પદ પાછું આપ્યું છે.
હું મારું જીવન કિન્નર અખાડા અને સનાતન ધર્મને સમર્પિત કરીશ.જ્યારે અભિનેત્રીએ મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તે 25 વર્ષથી સાધ્વીની જેમ જીવી રહી છે અને હંમેશા રહેશે. તેમણે કહ્યું હતું કે મને આ પદ મળ્યા પછી કેટલાક લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રીએ કહ્યું કે હું, મહામંડલેશ્વર યમાઈ મમતા નંદ ગિરી મારા પદ પરથી રાજીનામું આપી રહી છું. આજે કિન્નર અખાડામાં મારે કારણે સમસ્યાઓ થઈ રહી છે. બોલિવૂડથી આટલું દૂર કોણ રહે છે મેં 25 વર્ષ સુધી તપસ્યા કરી, હું જાતે ગાયબ રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech