BREAKING NEWS

નવા વર્ષના પહેલા જ શનિવારે સાળંગપુરમાં હૈયે હૈયું દળાઈ એટલી ભીડ, દાદાને ચલણી નોટોનો શણગાર કરાયો, જુઓ તસવીરો

  • October 25, 2025 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


નવા વર્ષના પહેલા જ શનિવારે કરોડો ભક્તોના આસ્થા સમાન સાળંગપુરમાં પગ મુકવાની જગ્યા ન હોય તેમ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે કષ્ટભંજન દેવને ચલણી નોટોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.


પૂજારી સ્વામીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દાદાનું સિંહાસન 10, 20, 50, 100, 200 અને 500ની નોટોથી શણગારવામાં આવ્યું છે.


આજના શણગારમાં દાદાને વૃંદાવનના ખાસ પાંચ દિવસની મહેનતે તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વિશેષ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવ્યા છે અને તેના પર સુંદર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે


આરતીનો લ્હાવો લેવા માટે આજે શનિવારે દાદાના ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જેના કારણે આખું મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application