ગઈકાલે રાત્રે લગભગ 10:56 વાગ્યે દિલ્હીના રોહિણી વિસ્તારમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક એક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને થોડીવારમાં 400-500 ઝૂંપડાઓને પોતાની લપેટમાં લઈ લીધા હતા. દિલ્હી ફાયર સર્વિસએ જણાવ્યું હતું કે આગ લગભગ 5 એકરમાં ફેલાઈ ગઈ હતી. નજીકના પ્લાસ્ટિક સ્ક્રેપ વ્યવસાયને કારણે ઝડપથી ફેલાઈ હતી.બચાવ કામગીરી દરમિયાન એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. આગની ગંભીરતાને જોતાં, મૃત્યુઆંક વધી શકે છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા એલપીજી સિલિન્ડરોના વિસ્ફોટથી આગ વધુ ભડકી ઉઠી હતી, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આગ ઝડપથી ફેલાવાનું મુખ્ય કારણ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો જમા થવાનું હતું. ફાયર ટીમે જણાવ્યું હતું કે આગનો ફેલાવો આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકનો કચરો હોવાને કારણે થયો હતો. આ ઝૂંપડપટ્ટીઓ પહેલા પણ ઘણી વખત આગમાં લપેટાઈ ચૂકી છે, પરંતુ આ વખતે ભારે નુકસાન થયું છે
વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, કારણ કે સ્થાનિક લોકો પોતાનો સામાન બચાવવા અને સલામત સ્થળે પહોંચવા માટે દોડી રહ્યા હતા. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને આગ વધુ ફેલાતી અટકાવવા માટે વધારાના દળો તૈનાત કર્યા છે. ફાયર ટેન્ડરોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
ભીષણ આગમાં આશરે 500 ઝૂંપડપટ્ટીઓ લપેટાઈ ગઈ હતી. શરૂઆતમાં, 10 ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. આગ ફેલાતાં ફાયર એન્જિનની સંખ્યા વધી ગઈ. આગ ઓલવવા માટે 28 ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. શનિવારે સવારે 6:55 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. 16 ફાયર એન્જિન રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
જોકે, રાતભરની મહેનત બાદ, શનિવારે સવારે 5 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસ, દિલ્હી જલ બોર્ડ, સીએટી એમ્બ્યુલન્સ અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરીમાં સક્રિય રીતે જોડાઈ હતી. આગને કારણે ઝૂંપડપટ્ટીઓમાં ગભરાટ ફેલાયો હતો, લોકો જીવ બચાવવા દોડી રહ્યા હતા. આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતી વખતે ફાયર બ્રિગેડના કેટલાક કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
આ ઘટનામાં એક વ્યક્તિનું મોત અને એક ઘાયલ થયાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ મુન્ના (30) તરીકે થઈ છે, જ્યારે રાજેશ (30) ને દાઝી જવાથી ઈજા થઈ છે. રાજેશ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.