રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારથી શહેરના ઇતિહાસનું સૌથી મેગા ડિમોલિશન કરવામાં આવનાર છે, જેમાં આજી નદી કાંઠા અને ટીપી રોડ ઉપરના ૧૪૯૮ મકાનો ઉપર બુલડોઝર ફેરવીને કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાશે. અંદાજે એક સપ્તાહ સુધી ડિમોલિશન ચાલશે તેમ મ્યુનિ.વર્તુળોએ જણાવ્યું હતું.
વિશેષમાં મ્યુનિ.વર્તુળોએ ઉમેર્યું હતું કે, આજી નદી કાંઠા વિસ્તારમાં આશરે ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં ૯૯૨ મકાનો સહિતના એકમો સમાવિષ્ટ છે. જ્યારે ટીપી રોડ વિસ્તારમાં આશરે ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં કુલ ૪૯૭ મકાનો સહિતના એકમો છે. આ મુજબ કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન વિસ્તારમાંથી ૧૪૮૯ જેટલા મકાનો સહિતના દબાણો છે જે સોમવારથી તબક્કાવાર દૂર કરવામાં આવશે.