દીયા મિર્ઝા હવે તેના એક નિવેદનને કારણે વિવાદમાં ફસાઈ ગઈ છે. અભિનેત્રી હોવા ઉપરાંત, તે સંયુકત રાષ્ટ્ર્ર પર્યાવરણ કાર્યક્રમની ગુડવિલ એમ્બેસેડર પણ છે. તાજેતરમાં,અભિનેત્રીએ પિતૃસત્તાક માળખા પર વૈશ્વિક આબોહવાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો, જેના કારણે ઓનલાઈન ટ્રોલિંગ શરૂ થયું. તેના નિવેદનમાં, દિયાએ કહ્યું કે પુરુષો આબોહવા પરિવર્તન અને આ ઉથલપાથલ માટે જવાબદાર છે. આ નિવેદન બાદ, સોશિયલ મીડિયાના એક મોટા વર્ગે અભિનેત્રીને નિશાન બનાવવાનું શરૂ કયુ, જેનો હવે દિયાએ જવાબ આપ્યો છે.
દિયા મિર્ઝાએ કહ્યું, ''પિતૃસત્તા એ આબોહવા પરિવર્તનનું સૌથી મોટું કારણ છે. પુરુષોએ આબોહવા પરિવર્તનને વેગ આપ્યો છે અને આજે દુનિયામાં ચાલી રહેલી અશાંતિ માટે તેઓ સંપૂર્ણપણે જવાબદાર છે. અને આ ફકત ગ્લોબલ સાઉથમાં જ નહીં, પરંતુ ગ્લોબલ નોર્થમાં પણ થઈ રહ્યું છે.''
સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધનો જવાબ આપતાં, દિયા મિર્ઝાએ કહ્યું, ''તમારામાંથી ઘણા લોકો આ અંગે ચર્ચા કરી રહ્યા હોવાથી, શકય તેટલી સરળ રીતે તેને સમજાવવું શ્રે છે. હત્પં હજુ પણ મારા નિવેદન પર અડગ છું કે 'પિતૃસત્તાએ આબોહવા સંકટનું કારણ બન્યું છે.'''
આબોહવા પરિવર્તનને ઘણીવાર પર્યાવરણીય કટોકટી માનવામાં આવે છે, પરંતુ તે અસમાનતાનું સંકટ પણ છે. સદીઓથી, પિતૃસત્તાક પ્રણાલીઓએ સત્તા પોતાના હાથમાં રાખી છે, સંભાળ કરતાં સંસાધનોના શોષણને પ્રાથમિકતા આપી છે, અને પ્રકૃતિ અને સંવેદનશીલ સમુદાયોને રક્ષણ કરતાં શોષણના પદાર્થેા તરીકે જોયા છે. દિયાએ આગળ લખ્યું, ''પિતૃસત્તાક સમાજમાં ીઓ અને છોકરીઓ સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે જ રીતે જંગલો, નદીઓ, મહાસાગરો અને ઇકોસિસ્ટમ્સ સાથે પણ વર્તન કરવામાં આવે છે. તેમને પણ ફકત 'માલ' અથવા 'વસ્તુઓ' તરીકે જોવામાં આવે છે, અને પરિણામોને હવે અવગણવા અશકય છે. ''ઓલ અબાઉટ હર'' ના આ એપિસોડમાં, આરતી અને મેં એ પણ સમજાવ્યું કે પુરુષોની શોષણકારી, ઉદાસીન અને પ્રભુતશાળી પ્રણાલીઓએ કેવી રીતે આર્થિક માળખાં બનાવ્યા છે જે આબોહવા પરિવર્તનને વેગ આપે છે.
દિયાએ આગળ કહ્યું, ''શોષણકારી, પ્રભુતશાળી પ્રણાલીઓ એ જ છે જે પ્રકૃતિ સંરક્ષણ અને મહિલા અધિકારો માટે બોલતા અવાજોને નબળા પાડવામાં રોકાયેલા છે.'' મહિલાઓ અને છોકરીઓ, ખાસ કરીને સંવેદનશીલ સમુદાયોની, ઘણીવાર પાણીની અછત, ખાધ અસુરક્ષા, વિસ્થાપન અને આજીવિકા ગુમાવવા જેવા આબોહવા પરિવર્તનના પ્રભાવોનો સામનો કરનારી પ્રથમ હોય છે.