મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના જુનાવર તાલુકાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે એક આસામીની વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના લલીતાબેન મુકુટ ચૌહાણ નામના 45 વર્ષના આદિવાસી મહિલાને શુક્રવારે રાત્રિના સમયે કલ્યાણપુરથી આશરે 32 કિલોમીટર દૂર ભોગાત ગામ નજીકથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે લલિતાબેન ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે મધ્યપ્રદેશ રાજ્યના ગબ્બર આનંદસિંહ વાસ્કેલ (ઉ.વ. 39, રહે. હાલ સતાપર) ની ફરિયાદની કલ્યાણપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વડીલોપાર્જીત મિલકતના ભાગ બાબતે ધીણકીના પ્રૌઢ પર કુટુંબી શખ્સો દ્વારા હુમલો
દ્વારકા તાલુકાના ધીણકી ગામની સીમમાં રહેતા કારાભા વજાભા સુમણીયા નામના 50 વર્ષના પ્રૌઢને વડીલોપાર્જીત મિલકતના ભાગ બાબતનો ખાર રાખીને આ જ ગામના કાનાભા વજાભા સુમણીયા અને રામસંગ કાનાભા સુમણીયા નામના બે શખ્સોએ છરી બતાવી, લોખંડના પાઇપ વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં ફરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી
June 17, 2025 11:59 AMઇલિયાના ડી'ક્રુઝે ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
June 17, 2025 11:53 AMજામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચર શોરૂમના ગોડાઉનમાં આગ લાગી
June 17, 2025 11:52 AMરોહિત શેટ્ટી ફરી 'ગોલમાલ'ની બાગડોર સંભાળશે
June 17, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech