BREAKING NEWS

મમતાના ગઢ બંગાળમાં આજે મોદીની રેલી,3,200 કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ

  • December 20, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મમતાના ગઢ બંગાળને સર કરવા ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યું છે.જેનું સુકાન ખુદ મોદી સંભાળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાટે પહોચ્યા છે અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રાણાઘાટમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે.આગામી વર્ષની ચૂંટણી માટે પીએમ મોદીની મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી એસઆઈઆર મુદ્દા પર કેન્દ્ર સરકાર પર સીધા નિશાન સાધી રહ્યા છે. મોદી મમતા બેનર્જી અને એસઆઈઆર મુદ્દા પર પણ મહત્વપૂર્ણ નિવેદન આપી શકે છે.


૩,૨૦૦ કરોડના પ્રોજેક્ટ્સ કોલકાતા અને સિલિગુડી વચ્ચે મહત્વપૂર્ણ જોડાણ બનશે

પ્રધાનમંત્રી આશરે ₹૩,૨૦૦ કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૪ ના ૬૬.૭ કિલોમીટર લાંબા ચાર-લેન બરજાગુલી-કૃષ્ણનગર વિભાગનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બારાસત-બારાજગુલી રૂટ પર 17.6 કિલોમીટર લાંબા, ચાર-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 નો શિલાન્યાસ પણ કરશે.


આ પ્રોજેક્ટ્સ કોલકાતા અને સિલિગુડી વચ્ચે મહત્વપૂર્ણ જોડાણ તરીકે સેવા આપશે. આ પ્રોજેક્ટ્સ લગભગ બે કલાકનો મુસાફરી સમય બચાવશે, અવિરત ટ્રાફિક માટે ઝડપી અને સરળ વાહનોની અવરજવર સુનિશ્ચિત કરશે, વાહન સંચાલન ખર્ચ ઘટાડશે અને કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય પડોશી જિલ્લાઓ તેમજ પડોશી દેશો વચ્ચે જોડાણમાં સુધારો કરશે. આ પ્રોજેક્ટ્સ પ્રદેશમાં આર્થિક વિકાસને પણ વેગ આપશે અને સમગ્ર પ્રદેશમાં પ્રવાસન વિકાસને પ્રોત્સાહન આપશે.



આસામમાં મોદી 15,600 કરોડના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમત્રી આસામમાં આશરે ₹15,600 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.અંદાજે 1.4 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું, નવું ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 13 મિલિયન મુસાફરોને સંભાળવા માટે રચાયેલ છે. "બેમ્બુ ગ્રોવ" થીમ હેઠળ આસામની જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસામાંથી પ્રેરણા લઈને આ નવું ટર્મિનલ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી દિબ્રુગઢના નામરૂપમાં આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આશરે ₹10,600 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application