BREAKING NEWS

ઉત્તરાયણે જ સૌરાષ્ટ્રની ધરા ધણધણી ઉઠી...અમરેલીમાં મઘરાતે 2.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

  • January 14, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team

આજે મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે 02:23 વાગ્યે એક જ સમયે બે અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના કંપન નોંધાયા હતા:


સૌરાષ્ટ્રના અમરેલી નજીક 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 37 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ (SSW) દિશામાં જમીનથી 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. તે જ સમયે દક્ષિણ ગુજરાતના વાંસદા નજીક 1.6ની તીવ્રતાનો એક અત્યંત હળવો આંચકો નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ વાંસદાથી 8 કિલોમીટર દક્ષિણ-પૂર્વ (SSE) દિશામાં માત્ર 1.6 કિલોમીટરની ઊંડાઈએ હતું.



ગઈકાલે, મંગળવારના રોજ, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભૂકંપની હલચલ જોવા મળી હતી.



કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી 41 કિલોમીટર ઉત્તર-પૂર્વ (NNE) દિશામાં વહેલી સવારે 03:05 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.


જ્યારે પોરબંદરથી 46 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સવારે 09:58 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application