મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં એક સરકારી શાળામાં બિસ્કિટ ખાવાથી 250થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે. આ બનાવથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર છત્રપતિ સંભાજીનગર જિલ્લા શાળામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ બિસ્કિટ ખાધા પછી પેટમાં દુખાવો, ઉલ્ટી અને અન્ય અસ્વસ્થતાના લક્ષણોની ફરિયાદ કરી હતી. જેમ જેમ વધુ વિદ્યાર્થીઓએ સમાન લક્ષણો દર્શાવ્યા તેમ સમગ્ર શાળામાં ચિંતા અને ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પંચાયત પ્રમુખ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે તાત્કાલિક અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મેડિકલ ઓફિસરે પુષ્ટિ કરી હતી કે શનિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ બિસ્કિટ ખાધા બાદ સોથી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. જેમાંથી 157 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે અને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગની એક ટીમ શાળાના ખોરાકની ગુણવત્તા ચકાસવા સ્થળ પર પહોંચી છે. વિભાગે ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્ર કર્યા છે અને બિમારીઓનું કારણ જાણવા માટે તેની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે એમ પણ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech