ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ તેર વોર્ડના વિસ્તારોમાં હાલ ગટર વિભાગ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન શહેરના મોટાભાગના વિસ્તારોમાં બે થી ત્રણ ઈંચ વરસાદમાંજ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મહાપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે તમામ તેર વોર્ડ હેઠળના વિસ્તારોમાં ગટર લાઈનની સફાઈ તેમજ વરસાદી પાણીનો ઝડપથી નીકાલ થાય તે માટે કામગીરી કરવામાં આવે છે. પરંતુ ચોમાસા દરમ્યાન શહેરમાં માત્ર બે થી ત્રણ ઈંચ વરસાદ પડતા જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને રેલ્સ્ટેશન, દાણાપીઠ, ખારગેટ, બંદર રોડ, કુંભારવાડા તેમજ માઢીયા અને નારી રોડ સહિતના વિસ્તારો વરસાદી પાણીથી તરબોળ બને છે. ઉપરાંત વરસાદી પાણીનો ભરાવો રહેતા રોગચાળાનો પણ ભય ઉભો થાય છે. પાણી ભરાવાની સમસ્યા શહેરના ગીચ વિસ્તારમાં જ ઉભી થાય છે તેવું નથી શહેરના પરા વિસ્તારોમાં પણ માત્ર બે થી ત્રણ ઈંચ વરસાદ પડતા જ પાણી ભરાઈ જતાં હોય ચાલુ વર્ષે મહાપાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચોમાસા પૂર્વેની કામગીરી સચોટ પુરવાર થાય અને ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech