હળવદ નગરપાલિકા તંત્રમાં છેલ્લ ા ઘણા સમયથી અણઘડ વહીવટ અને કાર્ય ચાલી રહ્યા છે શહેરમાં ઠેકાણે ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટો છે પરંતુ આજ દિન સુધી કોઈનો વાળ પણ વાંકો નથી થયો, ત્યારે નગરપાલિકા દ્રારા શહેરમાં આવેલ સામતસર તળાવમાં આશરે ૧૦૦ થી વધુ કાચા ઝુંપડાઓમાં શ્રમિક પરિવારો મંજુરી કામ કરી પેટીયું રળે છે, છેલ્લ ા ધણા વર્ષેાથી આશ્રમિક પરિવારો વસવાટ કરે છે, ત્યાં ડિમોલિશન કરવામાં આવતા રોષ ફાટક્ષ નીકળ્યો છે.નગરપાલિકા તત્રં દ્રારા યારે યારે ડિમોલેશન કરવાનું સુરાતન ચડે ત્યારે ત્યારે સામતસર તળાવના વસતા શ્રમિક પરિવારોને નિશાન બનાવવામાં આવે છે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.શ્રમિક પરિવારો પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણ દિવસ પહેલા નગરપાલિકા તત્રં દ્રારા દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી અને તેને લઈને જ સોમવાર સવારે નગરપાલિકાનું બહાદુર તત્રં બપોરના સમયે બુલડોઝર સાથે ઝૂંપડા તોડવાના કામગીરી શ કરી હતી જેમાં થોડાક ઝૂંપડામાં બુલડોઝર પણ ફેરવી નાખવામાં આવ્યું હતું અને ઘરવખરી ધુણધાણી કરી નુકસાન પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ કામગીરીનો શ્રમિક પરિવારોએ વિરોધ પણ દર્શાવ્યો હતો પરંતુ વિરોધ વધતા આખરે હળવદ પોલીસ એ મધ્યસ્થી કરી હતી સમજાવટથી મામલો થાળે પડો હતો જેમાં બે દિવસનો શ્રમિક પરિવારોને સમય આપ્યો હતો અને આ બે દિવસમા શ્રમિક પરિવારો કલેકટરને મળી યોગ્ય વ્યવસ્થાની માંગ કરવાનું કહેશે જોકે નગરપાલિકા ચીફ ઓફિસર તો આ કાર્યવાહી સેમ ડે કામગીરી કરવાનો મૂડ બનાવ્યો હતો અને બુલડોઝર ફેરવવાનું શઆત કરી દીધી હતી અને આ કામગીરી દરમિયાન એક મહિલાની તબિયત પણ લથડી હતી અને શ્રમિક પરિવારોએ બુલડોઝરના ટાયર નીચે સુઈ તેમજ બાળકો અને મહિલાઓ બુલડોઝરના સુપડામાં બેસી ગયા હતા જેને લઈને સમજાવટ બાદ બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે બે દિવસ બાદ નગરપાલિકા તત્રં બુલડોઝર ફેરવી તમામ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરશે પરંતુ હળવદ શહેરમાં અડચણપ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પાકા દબાણો થયા છે, એટુલ જ નહીં પાલીકાની જમીન માં દબાણો કરી અન્ય શખ્સો ભાડું વસુલાતી કરી રહ્યા છે, ત્યાં પાલીકા તત્રં કેમ મીયાની મિદડી બની ગયો છે, જે દબાણ હટાવવામાં નિષ્ફળ સાબિત થનાર પાલિકા તત્રં શ્રમિક પરિવારોના કાચા ઝૂંપડા તોડીને પોતાની બહાદુરી બતાવવાનું પ્રયત્ન કર્યેા હતો. તેવા આક્ષેપો સાથે લોકો રોષે ભરાયા છે. જોકે બે દિવસ બાદ કેવા પ્રકારની કામગીરી થશે અને થશે કે કેમ તે બે દિવસ બાદ ખબર પડશે હાલ તો શ્રમિક પરિવારોને બે દિવસનો સમય મળ્યો છે.ગરીબ લોકોના ઝૂંપડામાં માલસામાન નુકસાન કરી બુલડોઝર ફેરવતા બાળકો અને વૃદ્ધ મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કણ દ્રશ્યો સર્જાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘પોરબંદરવાસીઓ, યોગ દ્વારા મેદસ્વિતામુકત બનજો’: અર્જુન મોઢવાડીયા
May 03, 2025 02:59 PMભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMપીઓકેમાં ૧૦૦૦ મદરેસા બંધ: બાળકોને અપાઈ રહી છે તબીબી સારવારની તાલીમ
May 03, 2025 02:54 PMકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech