મ્યાનમારના વંશીય આતંકવાદી સંગઠન અરાકાન આર્મી સાથે સંબંધિત એક સમાચારે બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. મ્યાનમાર લશ્કરી શાસન સામે લડ્યા બાદ રાખાઇન પ્રાંત પર કબજો મેળવનાર અરાકાન આર્મીએ બાંગ્લાદેશમાં 10 કિલોમીટર અંદર આવીને એક સમારોહમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન તેમને બાંગ્લાદેશી સેના તરફથી કોઈ પ્રતિકારનો સામનો કરવો પડ્યો નહીં. બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીના જનરલ સેક્રેટરી અને ભૂતપૂર્વ સાંસદ મિયા ગુલામ પરવારે અરાકાન આર્મી દ્વારા ઘૂસણખોરીની નિંદા કરી હતી.
અરાકાન આર્મીના બાંગ્લાદેશમાં પ્રવેશવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે બાંગ્લાદેશી સેના અમેરિકાની યોજના હેઠળ મ્યાનમારમાં ઓપરેશનની તૈયારી કરી રહી છે. બાંગ્લાદેશમાં અરાકાન આર્મીની ઘૂસણખોરીની ઘટના તાજેતરમાં 16 અને 17 એપ્રિલના રોજ બંદરબન જિલ્લાના થાંચી ઉપજિલ્લામાં બની હતી. બાંગ્લાદેશી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ખાસ વાત એ છે કે અરાકાન આર્મીના સભ્યો તેમના લશ્કરી ગણવેશ અને હથિયારો સાથે અંદર આવ્યા હતા.
જમાત-એ-ઈસ્લામીના જણાવ્યા અનુસાર, મ્યાનમાર સ્થિત બળવાખોર જૂથ અરાકાન આર્મીના સશસ્ત્ર અને ભારે હથિયારો ધરાવતા સભ્યો બાંગ્લાદેશી ક્ષેત્રમાં લગભગ 10 કિલોમીટર સુધી ઘૂસી ગયા હતા. ત્યાં, તેમણે સ્થાનિક આદિવાસી સમુદાયો સાથે મળીને એક જળ મહોત્સવનું આયોજન કર્યું. અરાકાન આર્મીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેનો પ્રચાર પણ કર્યો. અરાકાન આર્મીની રાજકીય પાંખ, યુનાઇટેડ લીગ ઓફ અરાકાન સ્થાનિક રહેવાસીઓ સાથે ઉજવણીમાં જોડાઈ હોવાના અહેવાલ છે.
ઘૂસણખોરી સામે વિરોધ પ્રદર્શન
પરવારે અરાકાન આર્મીની ઘૂસણખોરીને બાંગ્લાદેશના સાર્વભૌમત્વનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. આ ઘટનાથી બાંગ્લાદેશની સરહદ સુરક્ષા અંગે વ્યાપક ચિંતા ફેલાઈ છે. પરવારે કહ્યું કે ઘૂસણખોરી દેશની સાર્વભૌમત્વ માટે ગંભીર ખતરો છે, જેનાથી સરકાર, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ અને સશસ્ત્ર દળો પર પ્રશ્નો ઉભા થાય છે. તેમણે કહ્યું, આટલી ઘૂસણખોરી કેવી રીતે શક્ય બની?'
અરાકાન આર્મીએ ક્યાં ઘૂસણખોરી કરી
દક્ષિણપૂર્વ બાંગ્લાદેશના પહાડી જિલ્લા બાંદરબન વિસ્તારમાં અરકાન આર્મીએ ઘૂસણખોરી કરી છે. આ પ્રદેશ મ્યાનમારના રાખાઇન રાજ્ય સાથે સરહદ વહેંચે છે. બંદર શહેર સિટવે સહિત ત્રણ શહેરોને બાદ કરતાં, અરાકાન આર્મી લગભગ આખા રાખાઇન પર નિયંત્રણ ધરાવે છે. અરકાન આર્મી એક વંશીય જૂથ છે જે રાખાઇન રાજ્યની સ્વાયત્તતા માટે મ્યાનમાર સૈન્ય સામે સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech