દક્ષિણ ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડશાયરમાં એક ખાણમાં ખોદકામ દરમિયાન એક અદ્ભુત શોધ થઈ છે. વૈજ્ઞાનિકોએ 200 જેટલા વિશાળકાય ડાયનાસોરના પગલાંના નિશાન શોધી કાઢ્યા છે. આ શોધ પુરાતત્વ અને ભૂસ્તરશાસ્ત્રની દુનિયામાં એક મોટો ધડાકો સમાન છે.
આ ફૂટપ્રિન્ટ્સ અંદાજે 16 કરોડ વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે અને તે મધ્ય જુરાસિક યુગના છે. આ શોધ અત્યાર સુધીની સૌથી મોટી ડાયનોસોર ટ્રેકવે સાઇટ ગણાય છે.
શું કહે છે સંશોધકો?
સંશોધકોનું માનવું છે કે આ ફૂટપ્રિન્ટ્સ બે અલગ-અલગ પ્રકારના ડાયનોસોરના હોઈ શકે છે. એક લાંબી ડોકવાળા સેટીઓસોરસ અને બીજા મેગાલોસોરસ. આ નિશાન 150 મીટર સુધી સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.
સંશોધકો આશા રાખે છે કે આ ફૂટપ્રિન્ટ્સનો અભ્યાસ કરીને તેઓ ડાયનોસોરના જીવન વિશે ઘણું બધું જાણી શકશે. જેમ કે, તેઓ કેવી રીતે ચાલતા હતા, કેટલી ઝડપે દોડતા હતા, તેમનું રહેઠાણ કેવું હતું અને તે સમયનું વાતાવરણ કેવું હતું.
ઇંગ્લેન્ડમાં મળી આવ્યા છે વિશાળકાય ડાયનોસોરના 200 જેટલા પગલાંના નિશાનો.. જેને લઈને સંશોધકો અને વૈજ્ઞાનિકો અચંબિત અને આતુર થયા છે. દક્ષિણ ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડશોરમાં એક ખાણમાં મધ્ય જુરાસિક યુગના આ ડાયનાસોરના પગની છાપ મળી આવી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ડાયનાસોર ટ્રેકવે સાઇટ ગણી શકાય છે. આ ફૂટપ્રિન્ટ્સ 16 કરોડ વર્ષ કરતા પણ વધુ જુના હોવાનું મનાઈ રહ્યું છે.
કેટલાક સંશોધકોનું માનવું છે કે આ બે અલગ-અલગ પ્રકારના ડાયનાસોરના પગની છાપ હોઈ શકે છે. એક લાંબી ડોકવાળા સેટીઓસોરસ અને બીજા મેગાલોસોરસ છે. આ નિશાન 150 મીટર સુધી સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. સંશોધકોને આશા છે કે આ છાપમાંથી અભ્યાસ કરી શકશે કે ડાયનાસોરની ક્રિયાપ્રતિક્રિયા કેવી હતી, તેઓ કેટલી ઝડપે ચાલતા, તેમના રહેઠાણ અને તે સમયનું વાતાવરણ કેવું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમની માર્કેટનો સમય વધારીને સાંજે પાંચને બદલે સાત વાગ્યા સુધી કરવાની વિચારણા
May 03, 2025 10:24 AMદ્વારકા ખાતે ભગવત્પાદ આધ્ય શ્રી શંકરાચાર્યજીના જન્મ જયંતિની ઉજવણી
May 03, 2025 10:24 AM૧૮ જિલ્લામાં પુરવઠા નિગમના ગોડાઉન અને સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ
May 03, 2025 10:18 AMધારીના દીતલા ગામે દંપતી વચ્ચે ઝગડો થતા પત્નીનો આપઘાત
May 03, 2025 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech