રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી આશાવર્કર પરિણીતાના ઘરે રાત્રીના પાડોશી શખસે ઘૂસી આવી તેને ઢીકાપાટુનો મારમારી તેના પર બ્લેડ વડે હુમલો કરી દીધો હતો. મહિલાની બુમાબુમથી લોકો એકત્ર થઇ જતા આ શખસે પોતાની જાતે ખુદના ગળા પર બ્લેડના ઘા મારી દીધા હતાં.
આશાવર્કર તરીકે છેલ્લા ચાર માસથી નોકરી કરે છે
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 34 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા રમેશ દેવજીભાઇ રાઠોડ (રહે. રૈયાધાર, ઇન્દિરાનગર-૩૨) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આશાવર્કર તરીકે છેલ્લા ચાર માસથી નોકરી કરે છે. પરિવારમાં પતિ અને બે દિકરીઓ છે. પતિ મોટેડા જીઆઇડીસીમાં નોકરી કરે છે જે અવારનવાર નાઇટ ડયુટીમાં હોય છે.
મારા સાસુ જસુબેનને તમો પૂછી લેજો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આજથી ત્રણ દિવસ પહેલા પાડોશમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ રાઠોડ પોતાના રસોડાના ડ્રોવરના ફર્નિચરનો સામાન શેરીની બહાર ભાંગતુટ અર્થે લાવેલ હોય જેથી ફરિયાદીએ આ રમેશભાઈને ભાંગતોડ કરોમાં મારા સાસુ જસુબેનને તમો પૂછી લેજો જો આ સામાન લેવો હશે તો મારી સાસુ લેશે અને આ રમેશભાઈએ રૂ.૨૦૦ માં વેચવા તૈયારી દર્શાવી હતી.
આપણે નવો ફર્નિચર કરાવો છે સામાન લેવો નથી
જે બાદ ફરિયાદીએ સાસુ જસુબેનને સામાન સસ્તા ભાવે મળે છે તેમ કહેતા આપણે નવો ફર્નિચર કરાવો છે સામાન લેવો નથી તેમ સાસુએ કહ્યું હતું. જે બાદ ફરિયાદીની માસીની દીકરીના લગ્ન અમદાવાદ થયેલ હોય જેને લેવા કુટુંબીજનો સાથે અમદાવાદ ગયા હતા.
રમેશને ધક્કો મારી ભાગી ગયા
તા.૦૫/૦૬/૨૦૨૫ ના રાત્રીના દસ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. ૨મેશનો ફરિયાદીના મોબાઈલમાં ફોન આવ્યો હતો અને સામાન વિશે પૂછતા અમારે લેવો નથી તેમ જણાવ્યું હતું.જે બાદ તેને ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર બાદ રમેશ ફોન ઉપર ફોન કરતો હતો. રમેશ મોડી રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ પરિણીતાના ઘરમાં આવી દરવાજો ખુલ્લો હોય તેમા આવી ફરિયાદીની છાતી ઉપર પડી પોતાના હાથમાં રહેલ બ્લેડ વડે પરિણીતાના હોઠના તેમજ દાઢીના તેમજ મોઢાના ભાગે છરકા મારવા લાગતા પરિણીતા ઉઠી જતા ગાળો દઇ ઢીકાપાટુનો મુઢમાર મારવા લાગતા ફરિયાદી તેમજ તેની બંને દીકરીઓ રાડો પાડી ઘરની બહાર દરવાજો ખોલી આ રમેશને ધક્કો મારી ભાગી ગયા હતા.
દેકારો થતા લોકો ભેગા થયા
આ દરમિયાન શેરીના માણસો દેકારો થતા ભેગા થતા આ રમેશે પોતાની જાતે બ્લેડ વડે પોતાના શરીરે ડાબા હાથે તેમજ ગળાના ભાગે ચેકા મારી પોતાની જાતને ગંભીર ઇજા પહોંચાડી હતી. બાદમાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડમાં આવી હતી.
રમેશની પત્ની ગુજરી જતા ઝનુની સ્વભાવનો થઇ ગયો
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ રમેશની પત્ની ગુજરી જતા ઝનુની સ્વભાવનો થઇ ગયો. આ ફરીયાદ મોડી કરવાનુ કારણ આરોપી પાડોશી હોય જેથી જે તે વખતે ફરીયાદ કરી ન હતી. પરંતુ બાદમાં તેમણે ફરિયાદ નોંધવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMપોરબંદરમાં સમયગૃપ દ્વારા રામધુન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
June 17, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech