ગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી

  • June 17, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પ્લેન ક્રેશના ૧૨ જૂન ૨૦૨૫ની ઘટનાથી દેશભરની જનતાના કાળજા હચમચી ઉઠા છે. ત્યારે કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહેલા ગોંડલનાં દેરડી કુંભાજીનાં યુવકે ગણતરીની જ સેકંડોમાં મોતની તબાહી નિહાળી હોવાની સાથે યુવકનો ચમત્કારિક બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે.
૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે વેદ ખાતરા કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહ્યો હતો. જમવાનું શ કરતાં જ અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ ધૂમાડામાં અધ્શ્ય થઈ ગયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. યાં પ્લેન અથડાયું ત્યારે વેદ ઘટનાથી માત્ર ચાર ટેબલ દૂર બેઠો હતો. તેમણે સેકન્ડોમાં જ થયેલ મોતના તાંડવનો કદી ન ભૂલી શકાય તેવા દ્રશ્યો નિહાળ્યા હતા. ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામના અને હાલ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવાન માટે કુદરતની કૃપા બે વખત વરદાનપ સાબિત થઈ છે.
એક વર્ષના ટૂંકાગાળામાં બે ભયાનક અકસ્માતોનો ભોગ બનવા છતાં વેદનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક તરફ ગત વર્ષે અકસ્માતમાં પોતાના પરિવારના છ સભ્યોને ગુમાવ્યાનું દુ:ખ છે, તો બીજી તરફ અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનામાંથી બચી જવાનો અહેસાસ છે. તાજેતરની ઘટના અંગે વાત કરતા વેદે જણાવ્યું કે, ૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ અને કાટમાળમાં અધ્શ્ય થઈ ગયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. થોડીવાર માટે કશું જ દેખાતું નહોતું. અમે થોડા મિત્રોએ બારીમાંથી કૂદવાનો વિચાર કર્યેા, પણ તે યોગ્ય ન લાગ્યું. જોરદાર બ્લાસ્ટ સાથે બધું ધૂળ ધૂમાડામાં અધ્શ્ય થઈ ગયું અને અમે સીડી તરફ ભાગ્યા, યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા. અમે પાંચ જણાએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યેા, પણ કાટમાળ એટલો ભારે હતો કે, અમારાથી કઈં થઈ શકયું નહીં. પાછળ વધુ બ્લાસ્ટ થતાં અમે નીચે ઉતરી ગયા અને બચાવ કામગીરીમાં મદદ કરવા લાગ્યા હતા.
આ ઘટનામાં વેદ પ્લેન અથડાયું તે જગ્યાએથી માત્ર ચાર ટેબલ જ દૂર હતો બ્લાસ્ટ અને શ્વાસ ંધાઈ જાય એવા ધુમાડા વચ્ચે બચીશું એવી કોઈ આશા નહોતી. સીડીએથી બહાર નીકળીને મેં સૌથી પહેલા પરિવારને ફોન કરીને પોતે સુરક્ષિત હોવાની જાણ કરી હતી. બરાબર એક વર્ષ પહેલા તા. ૪ જૂન ૨૦૨૪ના રોજ વેદના પરિવાર પર આભ ફાટી પડું હતું.વેદને નીટ પરીક્ષામાં ૬૯૧ જેવા સારા માકર્સ આવતા સમગ્ર પરિવાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે, સામખિયાળી પાસે લાકડીયા ગામ નજીક નેશનલ હાઈવે પર તેમની કારને ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વેદના મમ્મી–પપ્પા, ૧૩ વર્ષનો નાનો ભાઈ, ફઈ, પપ્પાના ફઈ અને ડ્રાઇવર સહિત કુલ છ લોકોના કણ મોત થયા હતા. તે અકસ્માતમાં વેદ, તેની બહેન અને તેના ફઈનો દીકરો બચી ગયા હતા. બે બે વખત મોતનું તાંડવ નજરે જોનાર વેદની બંને દુર્ઘટનામાં એક અજીબ સંયોગ જોવા મળ્યો ગત વર્ષે ૪ જૂને અકસ્માત થયા બાદ સારવાર લઈ વેદ ૧૩ જૂન, ૨૦૨૪ના રોજ ઘરે પાછો ફર્યેા હતો. આ વર્ષે પણ ૧૨ જૂને પ્લેન ક્રેશની ઘટના બની અને વેદ ૧૩ જૂન ૨૦૨૫ના રોજ સવારે પોતાના ગામ દેરડી (કુંભાજી) હેમખેમ પહોંચ્યો હતો. બે બે અકસ્માતનો ભોગ વેદે ભાવુક થઈને જણાવ્યુ હતુ કે ગતહ વર્ષે મેં મારા સ્વજનો ગુમાવ્યા હતા અને આ વર્ષે મારી નજર સામે બીજા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાની ઘટનાઓ જોઈ છે. ત્યારે ભગવાન આવું મોત કોઈને ન આપે. હત્પં આ બંને ભયંકર દુર્ઘટનામાં વડીલોના અને ભગવાનના આશીર્વાદથી જ બચી શકયો હોવાનું જણાવ્યુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application