આજે રાજ્યનાં નવા મંત્રીઓનો સવારે 11.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. જેને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ નવા મંત્રીઓ માટે ધારાસભ્યોને ફોન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં બે મંત્રીને રિપીટ કરાયા છે.
મંત્રી પદ માટે કોને કોને ફોન કરવામાં આવ્યો
1. પ્રફુલ પાનસેરીયા
2. કુંવરજીભાઈ બાવળીયા
3. ઋષિકેશ પટેલ
4. કનુ દેસાઇ
5. પરસોતમ સોલંકી
6. હર્ષ સંઘવી
7. પ્રદ્યુમન વાજા
8. નરેશ પટેલ
9. પીસી બરંડા
10. અર્જુન મોઢવાડિયા
11. કાંતિ અમૃતિયા
12. કૌશિક વેકરીયા
13. સ્વરૂપજી ઠાકોર
14. દર્શનાબેન વાઘેલા
15. જીતુભાઈ વાઘાણી
16. રીવાબા જાડેજા
17 પ્રફુલભાઈ પાનસેરીયા
જુના ૬ મિનિસ્ટર કેબિનેટમાં રહેશે
ઋષિકેશભાઈ પટેલ
કનુભાઈ દેસાઈ
કુંવરજીભાઈ બાવળિયા,
હર્ષભાઈ સંઘવી,
પ્રફુલભાઈ પાનશેરીયા,
પરસોત્તમભાઈ સોલંકી
૨૭ મંત્રીઓ બની શકે
મહાત્મા મંદિર ખાતે શપથવિધીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્ય મંચ પર 28 ખુરશીઓ ગોઠવામાં આવી છે. કેબિનેટ ફૂલ કોરમમાં છે એટલે નિયમ મુજબ ૨૭ મિનિસ્ટર બની શકે
(મુખ્યમંત્રી સહિત ૨૬) સાથે એક ખુરશી રાજ્યપાલની. મંચ પર ૧૦ માઇક મુકવામાં આવ્યા છે. જેમાં ૧૦-૧૦ મંત્રીઓ એકસાથે શપથ લેશે. આ ઉપરાંત રાજ્યપાલ માટે પણ એક અલગ માઇક મુકવામાં આવ્યું છે.
મંત્રીમંડળનું કદ વધી શકે છે
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, છેલ્લી ઘડીએ CM અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે તો દિલ્હીથી કોલ આવ્યો હશે. છેલ્લી ઘડીએ સમીકરણો બદલાઈ શકે છે, જેના રાજીનામા સ્વીકારવાના હતા તેમને રિપીટ કરાઈ શકે છે જેથી મંત્રીમંડળનું કદ વધી શકે છે.
શપથ વિધિને લઈ પોલીસનો ચુસ્તબંદોબસ્ત
નવા મંત્રીઓની શપથ વિધિને લઈને મહાત્મા મંદિર ખાતે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે અન્વયે 2 Dysp, 20 પોલીસ ઇન્સ્પેકટર, 30 પીએસઆઈ ઉપરાંત 450 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.