આગામી તા.૩૦.૧.૨૦૨૬ને શુક્રવારના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
વધુમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જીપીએમસી એકટ- ૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વેએ ગંભીર નોંધ લેવા અંતમાં જણાવ્યું છે.