ભાવનગર શહેરમાં આજે તા. ૨૯ને સોમવારે પોષ વદ ચોથના રોજ પરંપરાગત રીતે સંત શિરોમણી બજરંગદાસબાપાની ૪૭મી પુણ્યતિથિ મહોત્સવની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.ભાવનગરમાં તખતેશ્વર મહાદેવના મંદિરના પગથીયા પાસે આવેલ મઢુલી આશ્રમમાં સીતારામ મિત્રમંડળ ટ્રસ્ટ દ્વારા પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.જેમાં સવારે પાંચ વાગે મંગળા આરતી,૮ વાગે ધજારોહન,૮.૩૦ કલાકે ગુરૂપૂજન,બપોરે ૧૨.૧૦ કલાકે મધ્યાહન આરતી,સાંજે ૭ કલાકે સંધ્યા આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.બાપા સીતારામ ગૃપ દ્વારા શહેરના નિર્મળનગરમાં શેરી નં.ઝીરોમાં આવેલ મઢુલીમાં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.બપોરે મહાપ્રસાદ અને રાત્રે નવ વાગ્યે રામદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.ભાદેવા યુવા ગૃપ દ્વારા ભાદેવાની શેરીમાં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. તદઉપરાંત ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં બજરંગદાસ બાપાની નયનરમ્ય મઢુલીઓ બનાવી બાપાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે.મહાપ્રસાદ,આરતી,ધૂન,કીર્તન,રામદરબાર સહિતના કાર્યક્રમો યોજાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી મારા માસીનો દીકરો નથી કે શાંત થઈ જાય, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ : પાકિસ્તાની સાંસદ
May 04, 2025 10:50 AMપાકિસ્તાનમાં બોલાવવામાં આવી સંસદની ઇમરજન્સી બેઠક, રાષ્ટ્રપતિએ નોટિસ જારી કરી
May 04, 2025 10:33 AMઅમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાં રાહત, આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
May 04, 2025 10:18 AMગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech