એડવોકેટની હત્યા કેસમાં વધુ એક આરોપીની અટકાયત

  • April 09, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ ધરપકડનો આંક ૧૧ નો થયો


જામનગરના એડવોકેટની હત્યાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સીટ ની રચના કરાયા બાદ વધુ એક આરોપીને ઝડપી લેવાયા છે. જેને અદાલત સમક્ષ રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજુ કરાયો છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૧ નો થયો છે.


જામનગરના બેડી વિસ્તારમાં ગત તા.૧૩મી તારીખે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભત્રીજા નુરમામદ પલેજાએ  સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી . પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા ખાસ ટૂકડીઓ રચી હતી.


જેમાં પોલીસ દ્વારા બે સગીર સહિત ૧૦ આરોપીઓની અટકાયત કરી લેવાઈ હતી, અને તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે, જ્યારે બે સગીરને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયા છે.

આ પ્રકરણમાં  તપાસનો દોર આગળ ધપાવી મહેબૂબ જુસબ સાયચા નામના વધુ એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૧ નો થયો છે. હજુ ચાર આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application