જામનગરમાં પીઆઈને કામગીરીમાં બેદરકારી દાખવવી મોંઘી પડી છે. 2023ના ધ્રોલ દુષ્કર્મ કેસમાં તપાસમાં બેદરકારી બદલ પીઆઇને સેન્સપેન્ડ કરી દેવામાં આવતા જામનગર પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે.
જામનગર જીલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ આકરી કાર્યવાહી કરી છે. જામનગર જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વાય.જે. વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક દુષ્કર્મના કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરી છે. જેને લઈને જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.