સેનેટર ખાનનું આ નિવેદન પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહમાં આપવામાં આવ્યું હતું. ત્યાં તેમણે કહ્યું, "અયોધ્યામાં બનનારી નવી બાબરી મસ્જિદની પહેલી ઈંટ પાકિસ્તાન આર્મીના સૈનિકો દ્વારા નાખવામાં આવશે અને પહેલી અઝાન ખુદ આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા આપવામાં આવશે." તેમણે એમ પણ કહ્યું, "અમે બંગડીઓ પહેરી નથી.પલવાશા મોહમ્મદ ઝાઈ ખાનના આવા નિવેદનથી બળતામાં ઘી હોમાયું છે.
પલવાશા મોહમ્મદ ઝાઈ ખાનનો પરિચય
પલવાશા મોહમ્મદ ઝાઈ ખાન પાકિસ્તાનના સેનેટર છે અને હાલમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના નાયબ માહિતી સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તે માર્ચ 2021 થી પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહના સભ્ય છે. તેણીએ સિંધ પ્રાંતમાંથી મહિલાઓ માટે અનામત બેઠક જીતી હતી. આ પહેલા, તે 2008 થી 2013 સુધી પાકિસ્તાનની રાષ્ટ્રીય સભા (સંસદનું નીચલું ગૃહ) ના સભ્ય હતા. પલવાશા ખાન પ્રખ્યાત રાજકારણી અને ઉદ્યોગપતિ ફોઝિયા બહેરામની ભત્રીજી છે. ૧૯૮૮-૯૦ની સામાન્ય ચૂંટણીઓમાં ફૌઝિયા બહેરામ પંજાબ વિધાનસભાની એકમાત્ર મહિલા સભ્ય હતી.
શીખ સમુદાય અંગે આવી ટીપ્પણી કરી
પલવાશા ખાને એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન સેનામાં શીખ સૈનિકો ક્યારેય પાકિસ્તાન પર હુમલો કરશે નહીં કારણ કે તે તેમના માટે ધાર્મિક રીતે ખાસ સ્થળ છે. તેમણે કહ્યું, "જો ભારત પાકિસ્તાનને ધમકી આપે છે, તો તેણે તેમને કહેવું જોઈએ કે શીખ સૈનિકો પાકિસ્તાન પર હુમલો નહીં કરે કારણ કે આ સ્થળ ગુરુ નાનકની ભૂમિ છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મકાનની કાયદેસરતા પૂરવાર કરવા માટે મૌખિક સુચના મળતા વધુ એક યુવાને કર્યો આપઘાત
May 01, 2025 03:23 PMસોઢાણામાં ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શો ઝડપાયા
May 01, 2025 03:22 PMમેદસ્વિતા ક્લિનિકનો દોઢ મહિનામાં ૬૦૦ જેટલા દર્દીઓએ લીધો લાભ
May 01, 2025 03:20 PMભારતની દરિયાદિલી: પાકિસ્તાની નાગરિકોની વાપસીની સમયમર્યાદા લંબાવવામાં આવી
May 01, 2025 03:19 PMરાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech