અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ વધતી ચાલી છે. અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં મોડી રાત્રે પાકિસ્તાની દળો દ્વારા ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં નવ બાળકો અને એક મહિલાના મોત થયાનું સામે આવ્યું છે. અફઘાન તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરતા લખ્યું, કે ગઈકાલે રાત્રે 12 વાગ્યે, પાકિસ્તાની આક્રમણકારી દળોએ ખોસ્ત પ્રાંતના ગેર્બ્ઝવો જિલ્લામાં એક સ્થાનિક વિલાયત ખાનના ઘર પર બોમ્બમારો કર્યો, જેમાં નવ બાળકો (પાંચ છોકરાઓ અને ચાર છોકરીઓ) અને એક મહિલાનું મોત થયું અને તેમનું ઘર નાશ પામ્યું.જે ઘટનાના પગલે ઘડીભર તો અફરાતફરી મચી જવા પામી હતી.
તાલિબાને અહેવાલ આપ્યો કે પાકિસ્તાને કુનાર અને પક્તિકા પ્રાંતોમાં પણ હુમલાઓ કર્યા હતા જેમાં ચાર નાગરિકો ઘાયલ થયા હતા. આ દરોડા સોમવારે પાકિસ્તાનના પેશાવરમાં બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો પછી થયા હતા, જેમાં ત્રણ અર્ધલશ્કરી દળોના જવાનો માર્યા ગયા હતા.
અગાઉ, ઓક્ટોબરમાં, પાકિસ્તાની અને અફઘાન દળો વચ્ચે અથડામણમાં અસંખ્ય જાનહાનિ થઈ હતી. બંને પક્ષોએ ઓક્ટોબરમાં દોહામાં યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ અફઘાનિસ્તાનમાં કાર્યરત પાકિસ્તાન વિરોધી આતંકવાદી જૂથો પર મતભેદોને કારણે તુર્કીમાં શાંતિ મંત્રણા લાંબા ગાળાના કરાર વિના તૂટી પડી હતી