પોરબંદરના જ્યુબેલી ચાર રસ્તે ટ્રાફિકજામની સમસ્યા વારંવાર સર્જાય છે તેના લીધે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે માટે તેના નિરાકરણ બાબતે જિલ્લા પોલીસવડાને તાલુકા ભાજપ પ્રમુખે આવેદન પાઠવ્યુ છે.
પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઇ મોઢવાડીયાએ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવાયુ છે કે જ્યુબેલી ચાર રસ્તા એટલે કે જ્યુબેલી પુલથી પોરબંદર ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો અને તેને ક્રોસ કરતો નરસંગ ટેકરી, બોખીરા હાઇવે બાયપાસ પરના આ ચાર રસ્તાએ વધુ ટ્રાફિક રહેતી હોય. દિવસ દરમ્યાન ઘણી વખત ટ્રાફિક જામ જેવી સ્થિતિસર્જાતી હોય ટ્રાફિક જામના નિવારણ માટે દિવસ દરમ્યાન ટ્રાફિક પોલીસ અથવા ટ્રાફિક સહાયક જવાનોની તહેનાતી કાયમ માટે થાય તેવી આપને ભલામણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech