તળાજા શહેરના અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ વિજતંત્ર દ્વારા મુકવામાં આવેલ ટ્રાન્સફોર્મર પરના વીજ વાયરોમા ધડાકા સાથે ફાયરની ઘટના બનતા આસપાસના રહીશો અને અહીંથી પસાર થતા બાળકો સાહિતનામા ગભરાહટ સાથે નાસભાગ થઈ ગઈ હતી. મોટા ધડાકાઓ સાથે આગલાગી હોય તેવો મિનિટો સુધી માહોલ સર્જાયો હતો.
ઇસ્માઇલી ખોજા સોસાયટીમાં ફાયરની ઘટનાના પગલે સ્થાનિક રહીશે જણાવ્યું હતુ કે, વિજતંત્રને ઘટનાની જાણ કરી જાનમાલને હાની ન પહોંચે તે માટે ફોન કરતા તમારો ગ્રાહક નંબર આપો, તમારી માહક નંબર વગર ફરિયાદ ન નોંધાઈ તેવા જવાબ મળ્યાનું જણાવ્યું હતુ.
આવીજ ઘટના આશુતોષ પાર્કમાં બની હતી. ઘટનાના પગલે સ્થાનિક રહીશ દ્વારા જણાવાયું હતું કે લોકોનો જીવ બચાવવા માટે વિજતંત્રના અધિકારઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાંજના ૬.૩૦ થી રાત્રીના ૮.૧૫ સુધી ફોન કરવા છતાંય જવાબદાર અધિકારી કે કર્મચારીઓ ના સંતોષ કારક જવાબો મળ્યા ન હતા. જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.આ પ્રકારની ઘટના શા કારણે બની રહી છે તેના કારણમા વિજતંત્રના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુ કે ખાસ કરીને એસ.સી સતત લગાવવામાં આવી રહ્યા છે. નિયામાનુસાર તેના માટે વધારાનો લોડ માગવો જોઈએ જે માગવામાં ન આવતા વધુ વીજ પ્રવાહ વહન કરી શકે તેવું ટી.સી મુકવામાં આવતું નથી. જેના કારણે આ પ્રકાર ની ફરિયાદો ઉઠી રહી છે. સાંજથી લઈ મોડીરાત સુધી વોલ્ટેજ વધુ ઘટની પણ વ્યાપક ફરિયાદ ઉઠવા પામી ગતી.સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુ કે, ઉચ્ચ અધિકારીઓ જાણે છે કે અહીંરીપેરીંગ માટે સ્ટાફની મોટી અછત છે.૧૨ ના સ્ટાફ વચ્ચે સ્થિતિ એવી છે કે ૬ ફીડર વચ્ચે ૧૦ હજાર ગ્રાહકો છે તેના રીપેરીંગ માટે માત્ર ૨ કર્મચારીઓ છે. રાતની સ્થિતિ તેનાથી પણ ખરાબ છે. ૨૨ ગામડાઓ અને આખાય તળાજા ટાઉન વચ્ચે ત્રણ કર્મચારીઓ રીપેરીંગ માટે હોય છે. અહીં સ્વીફટ ડયુટી તો છે જ નહિ. સવારે ૯ વાગે આવેલ કર્મચારી સાંજે ૫ વાગે છૂટો થયા બાદ રાત્રે ૯ વાગે અન્ય સ્ટાફ આવે છે વચ્ચેની કલાકો મા રીપેરીંગ માટે કોઈજ સ્ટાફ નથી. એવીજ રીતે રાત્રે આવેલો સ્ટાફ પરોઢે ચાલ્યો જાય છે. જેના કારણે ગ્રાહકોમા વિજતંત્ર સામે જે ભારોભાર રોષ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech