સાસણ નજીક ગીર જંગલ વચ્ચેથી પસાર થઈ રહેલી રેલ્વે લાઈનના ટ્રેક ઉપર આવી ગયેલી સિંહણને પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટે ટ્રેનને ઇમરજન્સી બ્રેક મારી બચાવી લીધી હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ આવ્યા મુજબ, નંબર 52955 વેરાવળ -જૂનાગઢ પેસેન્જર ટ્રેન જૂનાગઢના લોકો પાઇલટ સંતોષ કુમાર અને શિવારામ લઈને આગળ વધી રહ્યા હતા ત્યારે સાસણ ગીર- કાંસિયાનેશ સેક્શનમાં રેલવે ટ્રેક ઉપર સિંહણને જોતાં, તેમણે તાત્કાલિક ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી દઇ, ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ ગઢવીએ સિંહણને રેલવે ટ્રેક પરથી દૂર કરી હતી. ત્યારબાદ ટ્રેન આગળ રવાના થઈ હતી. આ બાબતની જાણ થતા
ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા સહિતના અધિકારીઓએ લોકો પાઇલટ્સની ઉમદા કામગીરીની પ્રશંસા કરી હતી.
અત્રે યાદ રહે ભાવનગર રેલવે મંડળ હેઠળની આ રેલ્વે લાઈન પર સિંહો/ વન્યપ્રાણીઓની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ટ્રેનના લોકો પાઇલટ્સને નિર્ધારિત ગતિનું પાલન અને ખાસ સાવધાનીની માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેને કારણે લોકો પાઇલટ્સની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, ગત નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોને બચાવી લેવામાં આવ્યા હતા. હાલના નાણાકીય વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં કુલ 9 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech