નેપાળમાં લેન્ડિંગ સમયે જ વિમાનના ટાયરમાં ભીષણ આગ લાગી; ૨૭૮ મુસાફરોનો બચાવ
નેપાળમાં લેન્ડિંગ સમયે જ વિમાનના ટાયરમાં ભીષણ આગ લાગી; ૨૭૮ મુસાફરોનો બચાવ
May 11, 2026 03:23 PM
નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના ટળી ગઈ. તુર્કી એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી ગઈ. પોલીસે પુષ્ટ્રિ આપી છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં કુલ ૨૭૮ મુસાફરો અને ૧૧ ક્રૂ સભ્યો હતા. અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોને ટાંકીને, આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી હતી, અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના આજે સવારે લગભગ ૬:૪૫ વાગ્યે બની હતી. એરપોર્ટ સુરક્ષા માટે એસપી રાજકુમાર સિલાવલે જણાવ્યું હતું કે, ટર્કીશ એરલાઇન્સની લાઇટ ટીકે ૭૨૬ ઇસ્તંબુલથી કાઠમંડુ આવી રહી હતી ત્યારે લેન્ડિંગ દરમિયાન તેના એક ટાયરમાં આગ લાગી ગઈ. અિશામક કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાનમાં કુલ ૨૭૮ મુસાફરો અને ૧૧ ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં સંયુકત રાષ્ટ્ર્રના ઘણા અધિકારીઓનો સમાવેશ થાય છે. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.