મગનભાઈ હરજીભાઇ ધોળકિયા(રહે. રૈયા રોડ, પ્રમુખસ્વામી ઓડિટોરીયમ નજીક, શુભમ ડુપ્લેક્સ)એ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યોગીરાજ શક્તિસિંહ પરમાર, માધવ પરમાર, ઋષિરાજ જાડેજા અને એક અજાણ્યા શખસના નામ આપતાં જણાવ્યું હતું કે, તે જુના માર્કેટિંગ યાર્ડની બાજુમાં આર.આર. પેટ્રોલ પંપની પાછળ ટ્રાન્સપોર્ટનગરમાં દુકાન નંબર ૧૭૧, ૧૭૨ માં પુનમ રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ છેલ્લા આઠ વર્ષથી ચલાવુ છે. ગઈ તા.૦૬/૦૬/૨૦૨૫ ના રાત્રિના તે તથા બંને પુત્રો ટ્રાન્સપોર્ટની ઓફિસે હાજર હતા. ત્યારે રાત્રિના આશરે પોણા નવ વાગ્યે મારા ફોનમાં અમારા ટ્રાન્સપોર્ટની પાછળના ભાગે સોનલકૃપા એન્ટરપ્રાઇઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવનાર યોગીરાજ શક્તિસિંહ પરમારે કે મારા ભત્રીજાને એસ.ટી. બસમાં નોકરી માટે તમારા પુનમ રોડવેઝનો લેટરપેડ કોરો અને તમારી સહી અને સિક્કા વાળું જોઈએ છે તેમ કહેતા ના પાડી દેતા યોગીરાજ પરમાર, માધવ પરમાર, ઋષિરાજસિંહ જાડેજા અને એક અજાણ્યો શખ્સ કાર લઈને ધસી આવેલ હતા. બાદમાં છરી, ધોકા-પાઇપ વડે ત્રણેય પિતા-પુત્રોને માર માર્યો હતો. જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ મામલે ગુજરાત ચૂંવાળીયા કોળી સમાજ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પાઠવતા જણાવ્યું હતું કે, બનાવમાં અરજદાર દ્વારા હોસ્પિટલ ખાતે આવેલ પોલીસ કર્મચારીને તમામ હકીકત જણાવવામાં આવી હોય છતાં હુમલાખોરો ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવતા હોય અને પૂર્વઆયોજિત કાવતરું રચી ખૂની હુમલો કરી તોડફોડ મચાવી હતી તેમજ લૂંટ પણ ચલાવી હતી તેમ છતાં પોલીસે આરોપીને છાવરી હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આવેદનમાં માંગણી કરવામાં આવી હતી કે, હુમલાખોરો સામે પૂર્વઆયોજિત કાવતરૂ રચી લૂંટ કરવાની તેમજ જાનથી મારી નાખવાનું કોશિશ કરવામાં આવી હોય તેથી ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech