અમદાવાદના વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્ત્વોએ રોડ-રસ્તા બાનમાં લઈ જાહેરમાં આતંક મચાવ્યો હતો, જેને લઈને ગઈકાલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારબાદ આજે 14 પૈકીના 7 આરોપીએ પોતાનાં મકાનો પણ ગેરકાયદે ઊભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતાં અમદાવાદ મનપાની ટીમ પોલીસ-બંદોબસ્ત સાથે ડિમોલિશન માટે પહોંચી હતી. સાત આરોપીનાં ગેરકાયદે મકાનોનું ડિમોલિશન શરૂ કરાતાં જ આરોપીઓનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો, જોકે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલિશન કામગીરી યથાવત્ રાખી હતી. અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
વસ્ત્રાલના મહાદેવનગર નજીક જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી, પરંતુ એકબીજાના માણસો મળતા ન હતા. આ સમયે ટોળું એકઠા થઈને મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધ્યું અને રસ્તામાં જે પણ આવતું તેનાં વાહનોમાં તોડફોડ કરીને માર મારતા હતા. આરોપીઓએ પથ્થરમારો કરીને ખુલ્લી તલવાર સાથેના આતંક મચાવ્યો હતો. જઈ રહેલા લોકોને ગંદી ગાળો બોલી માર મારતા હતા.
આ અંગે પોલીસે ગુનો નોંધી 14 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને પકડીને સ્થળ પર લઈ જઈને જાહેરમાં ફટકાર્યા હતા. આ ઉપરાંત આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપી પૈકી સાત આરોપીનાં મકાન ગેરકાયદે હોવાથી કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને તોડી પાડવામાં આવ્યાં છે.
અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં અલગ અલગ મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશન જી.એસ મલિક પણ ડિમોલિશનની કામગીરી દરમિયાન અલગ અલગ સ્થળ પર હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા તમામ આરોપીઓનાં ઘરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આરોપી રાજવીરસિંહને લઈને પોલીસ જ્યારે તેના ઘર પાસે પહોંચી હતી. પોલીસે આરોપીને તેના ઘર નજીક જ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીના પરિવારના કેટલાક મહિલાઓએ ઉપરથી પોલીસ ઉપર વાયર અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ત્યારબાદ ડિમોલેશનની કામગીરીમાં મહિલાઓ અડચણરૂપ બનતા પોલીસે આરોપીના પરિવારોની મહિલાઓની પણ અટકાયત કરી છે. અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં રહેતા આરોપીઓનાં ઘરે આજે જ્યારે પોલીસ અને મનપાની ટીમ ડિમોલિશન માટે પહોંચી ત્યારે કેટલાક પરિવારોએ હોબાળો મચાવ્યો હતો અને કામગીરીનો વિરોધ કર્યો હતો.
આરોપીઓના નામ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech