સોડા બાટલીના ઘા વાગવાથી આઘેડને સામાન્ય ઈજા : કુલ 12 સામે ગુનો નોંધાતા અટકાયત માટે કાર્યવાહી
જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રીના સોડા બોટલોના ઘા કરી તેમજ મકાનનો દરવાજાની આગ ચંપીના બનાવમાં બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. યુવાન આરોપીઓ સાથે ફરતો હોય જે બાબતનો ખાર રાખીને આ બબાલ થઇ હતી બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા અટકાયત કરવા કાર્યવાહી આગળ ધપાવી છે.
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ અબ્દુલકરીમ મુલતાની નામના 52 વર્ષના આધેડના ઘર ઉપર રાત્રે પથ્થર મારો અને સોડા બાટલીના ઘા થયા હતા. જે મામલો પોલીસ મથકે પહોચ્યો છે, ફાકભાઇએ સીટી-એમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા દાનીશ જવુર બેલીમ, રઉફ ગુલામહુશેન બેલીમ, અલમોઇન બેલીમ, અકીલ શેખ, ઇસ્માઇલ ખાટકી અને યુસુફ બેલીમ નામના છ શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીના કાકાનો દીકરો સોહીલ આરોપીઓ સાથે ફરતો હોય જેથી તેને આરોપીઓ સાથે ફરવાની ના પાડતા અને આ બાબતની જાણ આરોપીઓને થતા આ અંગેનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરી સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચીને ફરીયાદીને અપશબ્દો બોલી સોડા બોટલોના છુટા ઘા કયર્િ હતા જેમાં ફરીયાદી ફાકભાઇને વાંસાના ભાગે મુંઢ ઇજા થઇ હતી અને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
જે બનાવ બાદ સીટી એ ડિવિઝનના પીઆઇ એન.એ. ચાવડા તથા અન્ય પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને કોમ્બિંગ હાથ ધરીને હુમલાખોરોને પકડવા તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ આ બબાલનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.
દરમ્યાન સામા પક્ષે પટણીવાડ વિસ્તારમાં રહેતા દાનીશ જવુરભાઇ બેલીમ (ઉ.વ.33)એ વળતી ફરીયાદ સીટી-એ ડીવીઝનમાં અહીં રહેતા ફાક અબ્દુલભાઇ મુલતાની, અસલમ બોદુ, સયાન હનીફ છુરીકાર, વકીદ અબુ ખતાય, શહેજાદ અબુ ખતાઇ અને સાહીલ ગુલામ હુશેનની વિરુઘ્ધ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે ફાકનો કાકાનો દીકરો સોહીલને ના પાડવા છતા અમારી સાથે ફરતો હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને ગેરકાયદે મંડળી રચી સોડા બોટલોના છુટા ઘા કરી ફરીયાદીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષની ફરીયાદના આધારે આરોપીઓની અટક કરવા કાર્યવાહી લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech