BREAKING NEWS

જંગલેશ્વરમાં સોમવાર સવારથી વીજજોડાણ કટ કરાશે, વીજતંત્રનો સર્વે શરૂ

  • February 21, 2026 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે લીલી ઝંડી આપ્યા બાદ આજે સવારથી શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્રારા હાથ ધરાયેલા ડિમોલિશન સંદર્ભે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ઈજનેર ટુકડી પણ સંકલનમાં સાથે રહી છે. જેમાં સોમવારથી વિજજોડાણો કાપવાનું અને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું શહેર વર્તુળ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

જંગલેશ્વર વિસ્તારના ૧૪૯૮ જેટલા દબાણો સામે મહાનગરપાલિકા સહિતના સત્તાવાળાઓએ હાથ ધરેલી કાર્યવાહીમાં પીજીવીસીએલના કોઠારીયા રોડ સબ ડિવીઝનના ઈજનેરો સહિતના અધિકારીઓ અને લાઈન સ્ટાફ સંકલનમાં સાથે રહીને કામગીરી બજાવી રહ્યા છે. જેમાં આગામી સોમવારથી ડિમોલીશનમાં જે દબાણો આખા દૂર કરવાના છે તેના વીજ મીટર ઉતારી લેવાનું અને જે મકાનો અંશત: દૂર થનાર છે તેના જોડાણો કાપવાની કાર્યવાહીમાં જરુર જણાશે ત્યાં મીટર શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ માટે આજથી જ સર્વે શરુ કરી દેવાયો છે. પીજીવીસીએલની ટીમ મહાપાલિકાના ઈજનેરોની ટીમ સાથે આજે સવારથી જ સમગ્ર વિસ્તારમાં ફેરણી કરીને હોમવર્ક કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application