દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇકાલે તા.૯ને ગુરૂવારે ઢળતી સાંજે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, મેયર નયનાબેન પેઢડીયા, સંસદસભ્યો રામભાઇ મોકરીયા અને કેસરીદેવસિંહજી ઝાલા, શહેર પોલિસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એનસીસી રાજકોટના કમાન્ડન્ટ બ્રિગેડીયર લોગનાથન તથા કલેકટર ડો.ઓમ પ્રકાશે પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાત રાજયની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિરોકાણ માટે રાજકોટ પધાર્યા હતા અને આજે સવારે સોમનાથ જવા રવાના થયા હતા.