તાજેતરમાં રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ડ્રાઇવ હાથ ધરીને મંજૂરી વિના લગાવેલા, મંજૂરીની મુદ્દત પૂર્ણ થયા બાદ લટકતા હોય તેવા તેમજ મંજૂરી મેળવી હોય પરંતુ નિયમભંગ થાય તેવી રીતે બોર્ડ બેનર લગાવ્યા હોય તે સહિતના બોર્ડ બેનર જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, સહિતના મુખ્યમાર્ગો ઉપરથી 578 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
વિશેષમાં મ્યુનિ.દબાણ હટાવ અધિકારીએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, ભીમનગર મેઇન રોડ, રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા ઉપરથી નડતર રૂપ 50 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી.
જ્યારે રૈયાધાર, જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઈન રોડ, પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનંદબંગલા ચોક ,અટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકથી જુદીજુદી અન્ય 238 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
જંક્શન રોડ, જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 823 કિલો શાકભાજી અને ફળ જપ્ત કરવામાં આવ્યા હતા.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઇન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસેથી રૂ.1,90,900નું મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું.
સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, 80 ફુટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક ઉપરથી રૂ.1,22,760નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech