BREAKING NEWS

પુણે નગરપાલિકાની ચૂંટણીમાં જીતની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ: આગ લગતા નવ લોકો ઘાયલ

  • December 22, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયત ચૂંટણીમાં વિજય બાદ, પુણે જિલ્લાના જેજુરીમાં ઉજવણી દરમિયાન એક મોટો અકસ્માત થયો. જીતની ઉજવણી દરમિયાન જેજુરી મંદિરની સીડી પાસે આગ લાગવાથી 9 લોકો ઘાયલ થયા, જ્યારે લોકો હળદર અને કુમકુમ ફેંકી રહ્યા હતા અને ભોગ અર્પણ કરી રહ્યા હતા. આ ઘટનામાં કેટલાક જીતેલા સ્થાનિક કાઉન્સિલરો પણ દાઝી ગયા.


અહેવાલો અનુસાર, મત ગણતરી પૂર્ણ થયા પછી, પક્ષના કાર્યકરો અને સમર્થકો ભગવાન ખંડેરાયના ચરણોમાં બોગ અર્પણ કરવા માટે જેજુરી મંદિર પહોંચ્યા હતા. મંદિરની સીડી પાસે હળદર, કુમકુમ અને અન્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી હતી. અચાનક આગ ફાટી નીકળી, જેના કારણે હાજર લોકોમાં ગભરાટ ફેલાયો. આગની જ્વાળાઓ ઘણા ફૂટ ઉંચી વધી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કેટલાક લોકો પોતાને કાબુમાં રાખી શક્યા નહીં અને દાજી ગયા.


પુણે પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભંડારાનો કેટલોક ભાગ સળગતા દીવા પર પડ્યો હતો, જેના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ ગિલે પણ પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં પાંચથી છ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે અન્ય લોકોને નાની ઇજાઓ થઈ હતી.


ઘટનાસ્થળે ફટાકડા ફૂટવાથી આગ લાગી હતી કે કેમ તે પણ પોલીસ તપાસ કરી રહી છે. આગનું ચોક્કસ કારણ હાલમાં સ્પષ્ટ નથી, અને તપાસ ચાલુ છે. પોલીસ વહીવટીતંત્રે લોકોને ઉત્સવો અને ઉજવણી દરમિયાન સંયમ અને સાવધાની રાખવાની અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application