ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી 181 અભયમ હેલ્પલાઇને ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે. રાજકોટ શહેરમાં ગુમ થયેલી પાંચ વર્ષની બાળકીને અભયમ ટીમે સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપી હતી.
આ ઘટનામાં, એક જાગૃત નાગરિકે ગુમ થયેલી બાળકીને જોઈને તરત જ 181 હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાળકી ગભરાયેલી હતી અને તેના માતા-પિતાનું નામ પણ યાદ ન હતું. પરંતુ ધીરે ધીરે તેણે તેના માતા-પિતા કારખાનામાં કામ કરતા હોવાની અને તેમના ઘર પાસેના દુકાનદારનું નામ જણાવ્યું હતું.
અભયમ ટીમે બાળકી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તે વિસ્તારમાં પહોંચીને બાળકીની બહેનને શોધી કાઢી હતી. બહેન પાસેથી માતા-પિતાનો સંપર્ક નંબર મેળવીને અભયમ ટીમે બાળકીને તેમના માતા-પિતાને સોંપી હતી. આ સમગ્ર ઘટનામાં માતાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેર ખાતે પાંચ વર્ષની બાળકીની મદદ માટે એક જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. બાળકીની મદદ માટે અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમના કાઉન્સેલરશ્રી વૈશાલીબેન ચૌહાણે બાળકીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, બાળકી તેણીના માતા-પિતાને શોધતી હતી અને તેના માતાપિતાનું નામ યાદ ન આવતા ખુબ જ ગભરાયેલી હતી. કાઉન્સેલિંગના થોડા સમય પછી બાળકી શાંત થતાં જણાવ્યું કે, તેના માતાપિતા કારખાનામાં કામ કરે છે, અને તેમના ઘર પાસેના દુકાનદારનું નામ યાદ આવતા અભયમ ટીમ એ વિસ્તાર પાસે પહોંચી હતી. ત્યાં તે વિસ્તારમાં બાળકીની બહેન બહાર રમતી હતી. ત્યારબાદ, અભયમ ટીમે બાળકીની બહેન પાસેથી તેઓના માતાપિતાનો ફોન નંબર અને જરૂરી આધારપુરાવા મેળવી તેમના માતાને યોગ્ય સલાહ-સૂચન અને માર્ગદર્શન આપ્યા હતા. અને ત્યારબાદ અભયમ ટીમે બાળકી માતાને સોંપી ત્યારે માતાએ ભાવુક થઈને ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ભૂલી પડેલી બાળાને તેના ઘરે સુરક્ષિત પહોંચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech