BREAKING NEWS

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

  • December 18, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા, ગુજરાત) બનાવનાર પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું મોડી રાત્રે નોઈડાના સેક્ટર 19 સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. 100 વર્ષીય રામ સુતારના અંતિમસંસ્કાર આજે સેક્ટર 94માં કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. રામ સુતારના મૃત્યુની માહિતી તેમના પુત્ર અનિલ સુતાર દ્વારા આપવામાં આવી હતી. તેઓ પોતે એક શિલ્પકાર છે અને તેમના પિતાના વારસાને આગળ ધપાવી રહ્યા છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત, રામ સુતારે બીજી ઘણી જાણીતી પ્રતિમાઓ બનાવી છે. તેમણે મહાત્મા ગાંધીની 350થી વધુ પ્રતિમાઓ બનાવી છે, જે વિશ્વભરમાં સ્થાપિત છે. તેમણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ઘણી પ્રતિમાઓ પણ બનાવી છે. પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની 100 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમની નોંધપાત્ર કૃતિઓમાંની એક છે.


ગત નવેમ્બરમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માન, મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ તેમના મંત્રીમંડળના સભ્યો સાથે નોઈડા ગયા હતા અને તેમના ઘરે તેમનું સન્માન કર્યું હતું. ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૫ના રોજ મહારાષ્ટ્રના ગોંડુર ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા રામ સુતાર નોઈડામાં પોતાનો સ્ટુડિયો સ્થાપ્યો હતો અને ૧૯૯૦થી ત્યાં જ રહેતા હતા. તેમણે અજંતા-ઈલોરા ગુફાઓમાં ઘણી પ્રાચીન શિલ્પોના પુનઃસ્થાપનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રામ સુતારે સંસદ ભવનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા, ભગવાન શ્રી રામની 251 મીટર ઊંચી પ્રતિમા અને અયોધ્યાના લતા મંગેશકર ચોકમાં વીણા ડિઝાઇન કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application