જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ૩૧મી જાન્યુઆરીના રોજ આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન
જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ૩૧મી જાન્યુઆરીના રોજ આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન
January 30, 2026 09:48 AM
જામનગર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, જામનગર દ્વારા આગામી તારીખ ૩૧-૦૧-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એક વિશેષ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં જાણીતી સંસ્થા ‘જાનકી ટેકનોલોજી’ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહી આઈ.ટી.આઈ. લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરશે.
આ ભરતીમેળામાં સહભાગી થવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો અને અધ્યતન બાયોડેટા સાથે ‘જિલ્લા રોજગાર કચેરી, જામનગર’ ખાતે નિયત સમયે સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી શ્રી જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે....