પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે
પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે
December 09, 2025 06:30 PM
પૂર્વ સૈનિકો અને સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો જે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિધાર્થી તરીકે અભ્યાસ કરતા હોય અને તેમને રહેવા અને જમવા માટે અત્રેની કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઇચ્છુક માતા પિતાઓએ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી સત્વરે જમા કરાવવા તેમજ વધુ વિગત માટે ટેલિફોન નંબર ૦૨૬૧ ૨૯૧૩૮૨૦ / ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.