BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાની આંગણવાડી કેન્દ્રોને સુદ્રઢ બનાવવા “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” અંતર્ગત નવીનીકરણનું કાર્ય વેગવંતુ

  • February 10, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૫૨૭ જેટલી આંગણવાડીઓનું થશે કાયાકલ્પ


મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરની આંગણવાડીઓને વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના હેતુ સાથે “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” શરુ કરવામાં આવેલ છે.



જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરનાં માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫૨૭ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓમાં સુધારા સાથે બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શૈક્ષણિક રીતે અનુકુળ વાતાવરણ ઉભું કરવાની કામગીરી હાલ કાર્યરત છે. 


જેમાં, સ્વતંત્ર મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રોમાં જરૂરિયાત અનુસાર કેન્દ્રના સર્વાંગી માળખાકીય સુધારણા, રંગકામ તથા જરૂરી નાના સમારકામ દ્વારા કેન્દ્રોને નવેસરથી સજાવવામાં આવી રહ્યા છે.

​​​​​​​

“આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” અંતર્ગત સઘન કામગીરી તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે તેમજ બાકી કામો પણ સત્વરે પુરા કરવામાં આવશે તેમ પ્રોગ્રામ ઓફિસર,આઈ.સી.ડી.એસ. દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application