BREAKING NEWS

મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ

  • November 25, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત અજાક્સ (મધ્ય પ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘ) ના પ્રાંતીય અધિવેશન દરમિયાન નવનિયુક્ત પ્રાંતીય અધ્યક્ષ અને વરિષ્ઠ આઈએએસ અધિકારી સંતોષ વર્માના એક નિવેદનથી વિવાદ સર્જાયો થયો છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું છે, જેના કારણે બ્રાહ્મણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

મધ્ય પ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘના અધિવેશનમાં સંતોષ વર્માએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ ન બને ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ.'

આ નિવેદનનો વીડિયો વાઈરલ થયા પછી સમગ્ર મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાએ આ ટિપ્પણીને દીકરીઓનું અપમાન ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'સરકાર 'બેટી-બચાવો, બેટી-બઢાઓ' જેવા અભિયાનો ચલાવી રહી છે, ત્યારે એક વરિષ્ઠ અધિકારી દ્વારા આવી ભાષા એક આખા સમાજના ગૌરવને ઠેસ પહોંચાડે છે.'

બ્રાહ્મણ સમાજનું કહેવું છે કે આ ટિપ્પણી અનામત ચર્ચાને વ્યક્તિગત સંબંધો સાથે જોડીને ખોટી દિશામાં લઈ જનારી છે અને તેનાથી સમાજમાં બિનજરૂરી તણાવ વધે છે. વીડિયો વાઈરલ થયા બાદ રાજ્યભરમાં આ નિવેદન પર ચર્ચા તેજ છે અને ઘણા સંગઠનોએ આઈએએસ અધિકારી પાસેથી સ્પષ્ટતા અને માફીની માગ કરી છે.

આ મામલે બ્રાહ્મણ સમાજ ટૂંક સમયમાં ભોપાલમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે. સંગઠનના નેતાઓએ જણાવ્યું છે કે, જો અધિકારી માફી નહીં માગે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application