આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં થનગનાટ: કાલે મકરસંક્રાંતિનો પર્વ ઉજવાશે
આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં થનગનાટ: કાલે મકરસંક્રાંતિનો પર્વ ઉજવાશે
January 13, 2026 01:10 PM
ઉમંગ - ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ આકાર, પ્રકારના પતંગો, ફીરકી, માંજા, ઉપરાંત પીપૂડા અને મુખૌટા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓના વેપારીઓને ત્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગ્રાહકોની નોંધપાત્ર ભીડ જોવા મળી રહે છે.
આવતીકાલે ઉતરાયણ પર્વ નિમિત્તે સવારથી જ ખાસ કરીને બાળકો તથા યુવા હૈયાઓ પતંગ ઉડાડવાની મોજ માણવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આ વખતે દેશભક્તિ સહિતની જુદી જુદી થીમ સાથેના પતંગોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે પણ આ દુકાનોમાં ગ્રાહકોને ભીડ જોવા મળી હતી. ઉતરાયણમાં પતંગોત્સવ સાથે લોકો ઊંધિયું ખાવાની મોજ માણશે.