BREAKING NEWS

મંગળવારથી રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટીની વોલ્વો દોડશે: ટિકિટ રૂ.૪૫૨

  • January 17, 2026 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના ઢેબર રોડ એસટી બસપોર્ટ ખાતેથી ગાંધીનગર જવા માટે વોલ્વો બસ મળશે, આગામી તા.૨૦ જાન્યુઆરી ને મંગળવારના રોજ આ નવી પ્રીમિયમ બસ સેવાને પશ્ચિમ રાજકોટના ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાશે.

રાજકોટ ગાંધીનગર વોલ્વો એસી સીટર બસ દરરોજ સાંજે ૪:૦૦ કલાકે રાજકોટ બસપોર્ટથી ઉપડશે અને ચોટીલા હાઇવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કોન, નહેરૂ નગર, રાણીપ થઇ રાત્રે ૯:૦૦ કલાકે ગાંધીનગર પહોંચાડશે. જ્યારે ગાંધીનગરથી દરરોજ સવારે ૭:૩૦ કલાકે બસ ઉપડશે અને બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટ પહોંચાડશે. આ એરકન્ડીશન વોલ્વો બસમાં રાજકોટથી ગાંધીનગરનું મુસાફર ભાડું રૂ.૪૫૨ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application