BREAKING NEWS

સાથે રાખવાનો ઈન્કાર કરતા પ્રેમીકા દવારા કરવામાં આવેલ બળાત્કારની ફરીયાદમાં આરોપીને જામીન મુક્ત કરતી સેસન્સ કોર્ટ

  • October 19, 2025 03:08 PM 

@ આ બનાવની હકીકત એવી છે કે આ કામના આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા ને ભોગ બનનાર સાથે લગ્ન કરવાના કરાર જેવું નોટરાઈઝડ લાખણ કરેલ અને એકબીજા સાથે પતી પત્ની તરીકે રહતા હતા અને ભોગબનનાર સાથે અવાર નવાર શરીર શંબંધ બાંધેલ હતા ત્યારબાદ આરોપી ધરણાંત આંબલિયાએ ભોગ બનનારને હવે તને રાખવી નથી તેમ કહી શાથે રાખવાની ના પાડેલ હતી તે મુજબના આક્ષેપ વાળી ફરીયાદ ભોગબનનાર દવારા આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા વિીરૂધ્ધ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.


ઉપરોકત ફરીયાદ દાખલ થતા આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા વિરૂધ્ધ BNS ની કલમ- ૬૪(૨)(એમ) મુંબજનો ગુનો નોંધવામાં આવેલ અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ અને જયુડીશ્યલ કસ્ટડી જીલ્લાજેલ જામનગર માં મોકલવામાં આવેલ છે.


ત્યારબાદ આરોપી ધરણાંત ઉર્ફે પીરો માલદેભાઈ આંબલીયા એ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત જામીન પર મુકત થવા અરજી કરેલ જે અરજી જમનગર સેસન્સ કોર્ટમાં ચાલીજતા સરકાર તરફે જામીન અરજી સામે વાંધાઓ લેવામાં આવેલ અને અરજદાર તરફે વકીલ અશોક એચ.જોશી દવારા અરજદાર અને ભોગબનનાર બંન્ને પુખ્તવયના છે વીગેરે મુજબની દલીલો કરેલ જે દલીલો ધ્યાને લઈ અરજદાર ને જામીન મુકત કવરા હુકમ કરવામાં આવેલ છે.


આ કેસમાં આરોપી તરફે જામનગરના જાણીતા વકિલ અશોક.એચ.જોશી, મોહસીન એચ.ખારા, પ્રદિપ પી. મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી. પરમાર રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application